યાદ રાખવા જેવા - સફળતા મેળવવાના સામાન્ય પણ સોનેરી નિયમો
નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહીં.
-તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો રોદણાં રડવા નહીં અને પહેલાં કરતાં ઘણુ સારું છે - તેમ જ કહેવુ.
-પાણી પણ લીજ્જતથી પીવું જાણે શરબત પીતા હોય.
-ભૂતકાળની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહીં.
-કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ પણ - મારી સમજણ કંઇક જુદી છે- તેમ કહેવું.
-શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી.
-મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આર્થીક દરીદ્રતા આવે છે, એટલે સમયસર સુવાનો નિયમ રાખવો .
-મારુ નસીબ હવે જોરદાર થવાનું છે- તે આશા હંમેશાં જિવંત રાખવી.
-હા કે ના થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા.
-સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહીં.
-દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહીં.
-કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી બહુ સરસ -મીઠુ -ઠડું છે- તેમ આભારવશ બોલવું.
-દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહીં.
-નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવવું .